રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર , રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 6ઠા માળે આગ લાગતા ત્રણ માળના લોકો આગમાં ફસાયા છે. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, હજું અનેક લોકો ફસાયા હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાઈ પ્રોફાઈલ સોની પરિવારના લોકો ફસાયા હોવાની વાત સામે આવી છે.
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી ચાલી રહી છે. હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. રાજકોટના નામાંકિત જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર આ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે.
અવાર નવાર આગના લાગવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર રાજકોટમાં આવેલા એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી છે. આ ઉપરાંત હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. તેમજ રાજકોટના નામાંકિત જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર આ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી હાઈપ્રોફાઈલ એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ. આ દુર્ઘટનામાં 3 લોકોના કરૂણ મોત થયા હોવાનું પોલીસે નિવેદન આપ્યું છે. મૃતકોમાં 1 ફ્લેટ હોલ્ડર, 2 ફાયર જવાનના મોતની શંકા હોવાનું અનુમાન છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.