Live
Search
Home > राज्य > गुजरात > રાધા–કૃષ્ણનું અલૌકિક પ્રેમ રહસ્ય : લગ્ન કેમ ન થયા?

રાધા–કૃષ્ણનું અલૌકિક પ્રેમ રહસ્ય : લગ્ન કેમ ન થયા?

રાધા–કૃષ્ણનો સંબંધ માનવ જીવન માટે ચિરંજીવી પ્રેરણા છે. એ માત્ર પ્રેમની કથા નથી, પરંતુ આત્મા અને પરમાત્માના મિલનનું દૈવી પ્રતિક છે. લગ્ન ન થયા છતાં તેઓ સદાય એકરૂપ છે. પ્રેમની સાચી વ્યાખ્યા રાધે-શ્યામમાં ઝળહળે છે – નિશ્વાર્થ, અવિનાશી અને આત્મિક. રાધે.... રાધે.....

Written By: Rushikesh Varma
Last Updated: August 17, 2025 18:31:45 IST

પ્રેમનો ઉલ્લેખ થાય ત્યારે સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ થાય છે. પુરાણોમાં કહેવામાં આવે છે કે કૃષ્ણની 16,108 રાણીઓ હતી, તેમ છતાં આજે પણ જ્યાં-જ્યાં કૃષ્ણનું નામ લેવાય છે ત્યાં સ્વાભાવિક રીતે “રાધે-શ્યામ” ઉચ્ચારાય છે. આ અલૌકિક પરંપરાના પીછેહઠે વર્ષો જૂનું પૌરાણિક રહસ્ય છુપાયેલું છે કે શા માટે રાધા અને કૃષ્ણનો દાંપત્ય સંબંધ ક્યારેય બંધાયો નહીં.

RadhaKrishna10

રાધાજીનું વ્યક્તિત્વ
પદ્મ પુરાણ મુજબ રાધાજી વૃષભાનુ ગોપની પુત્રી હતાં. બરસાણામાં જન્મેલી આ લાડલીને બ્રહ્મવૈવર્ત પુરાણે કૃષ્ણ કરતા ચાર વર્ષ મોટી ગણાવી છે. કેટલાક ગ્રંથોમાં રાધાના લગ્ન રાયન સાથે થયાનો ઉલ્લેખ છે, તો કેટલાકમાં રાધાને કૃષ્ણની આત્મસખી ગણાવવામાં આવી છે. અસંખ્ય માન્યતાઓ છતાં એક વાત અડગ છે – રાધા પ્રેમનું શાશ્વત પ્રતિક છે.

KrishnastoryKrishnacrossingwalltogettoRadharani

પ્રેમની શરૂઆત
વૃંદાવનની વાડી–વંટીમાં, ગોપાળના વાંસળીના સ્વરે રાધા મોહિત થઈ ગયાં. બાળકૃષ્ણ અને રાધા વચ્ચેનું આકર્ષણ માત્ર સ્નેહભર્યું નહીં પરંતુ આધ્યાત્મિક ઊંડાણ ધરાવતું હતું. લોકો કહે છે, આ પ્રેમ એટલો શુદ્ધ હતો કે એમાં “મારો-તારો” એવો અહંકાર નહોતો. આ સંબંધે આખા વિશ્વને સાચા પ્રેમનો અર્થ સમજાવ્યો.

લગ્ન કેમ ન થયા?
આ વિષયે અનેક માન્યતાઓ છે –

  • એક માન્યતા મુજબ નારદજીએ વિષ્ણુજીને આપેલા શ્રાપના કારણે કૃષ્ણને રાધા સાથે લગ્નનો આનંદ પ્રાપ્ત ન થયો.
  • બીજું માનવામાં આવે છે કે રાધા પોતે રાજમહેલના જીવન માટે યોગ્ય ન હતી, તે એક ગોપી હતી. તેથી તેણે કૃષ્ણને રાજકુમારી સાથે લગ્ન કરવાની છૂટ આપી.
  • આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો, કૃષ્ણે રાધાને પોતાની આત્મા ગણાવી હતી. જ્યારે રાધાએ પૂછ્યું કે લગ્ન કેમ નહીં? ત્યારે કૃષ્ણે ઉત્તર આપ્યો – “શું કોઈ પોતાનાં આત્મા સાથે લગ્ન કરે?” એટલે તેમના પ્રેમને લગ્ન જેવી ઔપચારિકતા જરૂરી ન હતી.

RadhaKrishnaLoveForeverE

આધ્યાત્મિક અર્થ
રાધા અને કૃષ્ણનો સંબંધ શારીરિક કે દૈહિક નથી, તે તો આત્માનો મિલન છે. જ્યાં પ્રેમમાં કોઈ શરત નથી, કોઈ અપેક્ષા નથી, માત્ર સમર્પણ છે – ત્યાં લગ્નની ગાંઠ બાંધવાની જરૂર રહેતી નથી. રાધા-કૃષ્ણનું અદ્વૈત મિલન માનવજાતને શીખવે છે કે પ્રેમ એ આત્માની તરસ છે, દેહની નહીં.

અવિનાશી પ્રેમનું પ્રતિક
યુગો વીતી ગયા, કૃષ્ણ દ્વારકાધીશ થયા, રાધા બરસાણાની લાડલી રહી, પણ બંનેના નામ અખંડ જોડાયેલા રહ્યા. આજે પણ દરેક મંદિરમાં, દરેક ભક્તિના ગીતમાં કૃષ્ણનું નામ લીધા વગર રાધાનું સ્મરણ અધૂરું લાગે છે. આ જ છે તેમના પ્રેમનું સાચું વૈભવ – જ્યાં વિયોગ પણ મિલન કરતાં ઊંડો લાગે છે.

radharani

રાધા અને કૃષ્ણના લગ્ન ક્યારેય ન થયા, પરંતુ તેમનો પ્રેમ શાશ્વત બનીને અમર રહ્યો. કદાચ એ જ માનવજાતને સૌથી મોટો સંદેશ છે કે પ્રેમને કાનૂની બંધન કે ઔપચારિક પરિભાષાની જરૂર નથી. પ્રેમ તો માત્ર અનુભૂતિ છે, જે આત્માને દિવ્ય સાથે જોડે છે.

રાધે-રાધે 

STORY BY: NIRAJ DESAI

MORE NEWS