Categories: गुजरात

કૂતરાના કરડવાથી મોત: સુપ્રીમ કોર્ટે જનહિતમાં લીધો સ્વતઃ સંજ્ઞાન

દેશમાં વધતા રખડતા કૂતરાઓના હુમલાઓ અને તેના પરિણામે થતા મોતના મામલાઓ હવે માત્ર શોક અને ચર્ચાજ નહિ પણ ન્યાયિક ચિંતાનું કારણ બન્યા છે. સુપ્રીમ કોર્ટે દેશમાં કૂતરાના કરડવાથી થતા મૃત્યુ અને રોગપ્રસરના ગંભીર મુદ્દે સ્વતઃ સંજ્ઞાન લઈ ભારે ચિંતા વ્યક્ત કરી છે.

અદાલતે ખાસ કરીને દિલ્હી શહેરમાં ઘટેલી અત્યંત દુઃખદ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં છ વર્ષીય બાળકી છબી શર્માનું રખડતા કૂતરાના કરડવાથી 30 જૂને ગંભીર રીતે ઇજા પામી હતી અને સારવાર છતાં તે 26 જુલાઈએ જિંદગી હારી ગઈ હતી.

ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે જણાવ્યું કે આવા બનાવો માત્ર પીડિત પરિવારજનો માટે જ નથી પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાજનક અને ડરાવનારા છે. અદાલતે આ મુદ્દે રજૂ થયેલા રિપોર્ટને જાહેર હિતની અરજી તરીકે નોંધવાની તાત્કાલિક કાર્યવાહી કરી છે અને ભારતમાં મહામહિમ મુખ્ય ન્યાયમૂર્તિને આ અંગે યોગ્ય આદેશ આપવા વિનંતી કરી છે.

પશુપાલન રાજ્યમંત્રી એસ.પી.સિંહ બઘેલે 22 જુલાઈના રોજ લોકસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2024માં અત્યાર સુધીમાં દેશમાં કૂતરા કરડવાના આશરે 37 લાખ કેસ નોંધાયા છે, જેમાંથી 54 મોત રેબીઝ (હડકવા)ના કારણે થયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે પીડિતોમાંથી પાંચ લાખથી વધુ બાળકો એવા હતા, જેઓ 15 વર્ષથી પણ નાનાં હતા.

વર્ષવાર કૂતરા કરડવાના કેસ અને મૃત્યુ

વર્ષ

કેસોની સંખ્યા

રેબીઝથી મૃત્યુ

15 વર્ષથી ઓછા બાળકોની સંખ્યા

2022

21.9 લાખ

ઉપલબ્ધ નથી

ઉપલબ્ધ નથી

2023

30.5 લાખ

ઉપલબ્ધ નથી

ઉપલબ્ધ નથી

2024

37 લાખ+

54 લોકો

5,19,704+

📍 રાજ્યવાર કેસ – 2024 (લાખમાં)

રાજ્ય

કેસોની સંખ્યા

મહારાષ્ટ્ર

4,85,345

તમિલનાડુ

4,80,427

ગુજરાત

3,92,837

કર્નાટક

3,61,494

બિહાર

2,63,930

કેરળ

1,15,046

દિલ્હી

25,210

પૂર્વમાં સુપ્રીમ કોર્ટે નોઈડાની એક અરજીની સુનાવણી દરમિયાન પણ તાકીદ કરી હતી કે લોકોના જીવન અને સુરક્ષાની કિંમત પર કૂતરાઓને જાહેર સ્થળે ખવડાવવાની મનમાની માન્ય ન બની શકે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથે સ્પષ્ટ રીતે જણાવ્યુ હતું કે જો કોઈ વ્યક્તિએ કૂતરાઓને ખવડાવવા જ હોય, તો તે પોતાનાં ઘરમાં જ કરે.

આ પૃષ્ઠભૂમિમાં, દેશ માટે આ પ્રશ્ન માત્ર એક આરોગ્યસંબંધિત પડકાર નહિ રહ્યો, પણ જાહેર વ્યવસ્થાની કસોટી બની રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે દેશની સર્વોચ્ચ અદાલત આ અંગે શા પ્રકારનો માર્ગદર્શક નિર્ણય આપે છે અને તંત્ર કેટલું ચુસ્ત પગલું લે છે.

Recent Posts

Dhurandhar Second Part: थिएटर में तबाही मचा रही ‘धुरंधर’ का आएगा दूसरा पार्ट! राकेश बेदी ने रिलीज डेट का किया खुलासा.. सुनकर फैंस हुए क्रेजी

Dhurandhar Second Part: बॉलीवुड एक्टर रणवीर सिंह (Ranveer Singh) की फिल्म “धुरंधर” आज सभी सिनेमा…

Last Updated: December 5, 2025 22:31:34 IST

सूरत की नन्ही शतरंज स्टार आराध्या ने रचा इतिहास, राष्ट्रीय चैंपियनशिप के लिए चयन

सूरत (गुजरात) [भारत], दिसंबर 5: शहर की उभरती शतरंज प्रतिभा और डीपीएस सूरत की कक्षा 2…

Last Updated: December 5, 2025 22:11:34 IST

वाइजैग में धांसू है टीम इंडिया का रिकॉर्ड… रोहित-कोहली का भी खूब चलता है बल्ला, धोनी को यहीं से मिली पहचान!

Team India ODI Record At Vizag: भारत और साउथ अफ्रीका विशाखापत्तनम में तीसरा वनडे मैच…

Last Updated: December 5, 2025 22:00:53 IST

Delhi Traffic Restrictions: पुतिन के स्वागत में दिल्ली ठप! दिल्ली की कई सड़कों से आज नहीं गुजर सकेंगे आप; ट्रैफिक पुलिस ने जारी की एडवाइजरी

Delhi Traffic Restrictions: रुस के राष्ट्रपति व्लादिमीर पुतिन की भारत यात्रा के कारण दिल्ली के…

Last Updated: December 5, 2025 21:37:10 IST

RBI Repo Rate News: रेपो रेट पर RBI ने सुना दिया अपना फैसला, जानिए होम-कार लोन सस्ता हुआ या महंगा?

rbi repo rate news: रिजर्व बैंक ऑफ इंडिया (RBI) ने फरवरी से रेपो दर में…

Last Updated: December 5, 2025 21:52:21 IST