અયોધ્યામાં રામમંદિરના શિખર પર ધર્મધ્વજ સ્થાપિત કરતી ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સંકલ્પ વ્યક્ત કર્યો—આગામી દસ વર્ષમાં, એટલે કે 2035 સુધીમાં મેકૉલેની ઉપનિવેશિક શિક્ષણવ્યવસ્થાને પૂર્ણ રીતે સમાપ્ત કરવાની તેમની પ્રતિબદ્ધતા. આ સંકલ્પ માત્ર રાજકીય નિવેદન નથી, પરંતુ ભારતને તેની મૂળ વિદ્યાપદ્ધતિ સાથે ફરીથી જોડવાનો પ્રયત્ન છે. પ્રશ્ન એ છે કે—શું ભારત ખરેખર ઉપનિવેશિક શિક્ષણના અંત માટે તૈયાર છે?
મેકૉલેની પદ્ધતિ: ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય
1835માં વિલિયમ એડમની રિપોર્ટના આધારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારી લોર્ડ મેકૉલેે ભારતીય ગુરુકુલ પરંપરાને તોડી નાંખીને અંગ્રેજી આધારિત પદ્ધતિ લાદી. તેનો હેતુ હતો—
“અંગ્રેજો માટે ક્લાર્ક અને સહાયક કર્મચારીઓ તૈયાર કરવો.”
આ શિક્ષણ પદ્ધતિએ ભારતીયોનો વિચારપ્રવાહ, ભાષા, સંસ્કાર અને આત્મવિશ્વાસ પર ઊંડો પ્રભાવ નાખ્યો. 200 વર્ષ થયા, છતાં આ પ્રણાલી આજે પણ આપણા શૈક્ષણિક માળખામાં દૃઢપણે બેસી છે.
વર્તમાન પરિસ્થિતિ: બદલાવની જરૂરિયાત
પનોવેશિક શિક્ષણ વ્યવસ્થા ભારતને શૈક્ષણિક રીતે આગળ વધારવામાં મદદરૂપ થઈ હશે, પણ તેણે ભારતીય મૂલ્યો, ભાષાઓ, પરંપરાઓ અને પ્રયોગાત્મક જ્ઞાનને પાછળ ધકેલી દીધું. વર્ષો બાદ આજે અમે બે સચ્ચાઈ સ્વીકારી રહ્યા છીએ—
આ પદ્ધતિ ભારતીય સંસ્કૃતિ સાથે સુસંગત નથી.
આજનું વૈશ્વિક યુગ નવું, સર્જનાત્મક, મૂલ્યઆધારિત અને પ્રયોગાત્મક શિક્ષણ માંગે છે.
ભારત: શું તૈયાર છે આ પરિવતર્ન માટે?
ભારત છેલ્લા ઘણા દાયકાઓથી ગુલામી કાળમાં ઘડાયેલી શિક્ષણ પદ્ધતિમાં એટલું ગોઠવાઈ ગયું છે કે નવું સ્વીકારવું સરળ નહીં હોય. પરંતુ નીચેના કારણો દર્શાવે છે કે પરિવર્તન માટે દેશ ધીમે-ધીમે તૈયાર થઈ રહ્યો છે:
1. રાષ્ટ્રીય શિક્ષણ નિતિ (NEP-2020): પ્રાથમિક દિશા
NEP-2020 પનોવેશિક શિક્ષણનાં ઘણા બંધનોથી મુક્તિ તરફનો પહેલો મોટો પગલું સાબિત થયું છે. માતૃભાષામાં શિક્ષણ, કુશળતા વિકાસ, ભારતીય જ્ઞાન પરંપરા, લવચીક કરિક્યુલમ—આ બધું પરિવર્તન માટેની તૈયારીઓને મજબૂત બનાવે છે.
2. ભારતીય ભાષાઓનો પુનર્જાગરણ
દેશભરમાં માતૃભાષા આધારિત શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. ગુજરાત, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ પ્રાથમિક શિક્ષણમાં સ્થાનિક ભાષાઓને પ્રાધાન્ય આપવાની શરૂઆત કરી છે.
3. ગુરુકુલ અને વૈદિક અધ્યયન પ્રત્યે રસમાં વધારો
નવી પેઢી ભારતીય માળખા પર આધારિત શિક્ષણ, યોગ, આયુર્વેદ, ફિલોસોફી, સંસ્કૃત સાહિત્ય અને વૈદિક ગણિત જેવી પદ્ધતિઓમાં રસ દાખવી રહી છે—જે અગાઉ ઓછું જોવા મળતું હતું.
4. ડિજિટલ ટ્રાંઝિશનની મદદથી પરિવર્તન ઝડપી
ડિજિટલ એજ્યુકેશન, ઑનલાઇન લર્નિંગ અને એડટેકની વૃદ્ધિએ નવા કરિક્યુલમને વ્યાપકપણે અમલમાં લાવવું સરળ બનાવ્યું છે.
પરિવર્તનનો પડકાર
હાલમાં ભારત કેટલાક પડકારોનો સામનો પણ કરી રહ્યું છે—
વર્ષોથી ચાલતી અંગ્રેજી કેન્દ્રિત માનસિકતા
પૂરતી તાલીમ પ્રાપ્ત શિક્ષકોની અછત
શૈક્ષણિક માળખાની અસમાનતા
રાજકીય ઈચ્છાશક્તિ અને પ્રશાસનિક ગતિનો અભાવ
પરંતુ આ પડકારો પરિવર્તનને રોકી શકતા નથી—ફક્ત ગતિ ધીમી કરી શકે છે.
નિષ્કર્ષ: ભારત તૈયાર થયું છે—હવે પગલું મોટું લેવાનો સમય છે
ભારત આજે નિર્ણાયક ચોરાહે ઉભું છે. ઉપનિવેશિક શિક્ષણ ઘણાં દાયકાઓ સુધી આપણા પર હાવી રહ્યું, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે મૂળ પર પાછા ફરીએ—
ભારતીય જ્ઞાન, ભારતીય મૂલ્યો, ભારતીય ભાષાઓ અને વૈજ્ઞાનિક-સર્જનાત્મક અભિગમ સાથેનું નવું શિક્ષણયુગ.
બધાં પડકારો છતાં, દેશની વિચારધારા, નીતિઓ અને નવી પેઢી સ્પષ્ટ રીતે દર્શાવે છે—
“ભારત હવે ઉપનિવેશિક શિક્ષણવ્યવસ્થાના અંત માટે તૈયાર છે.”
Jayalalithaa Death Mystery: अपने जमाने की सिनमा स्टार और तमिलनाडु की पूर्व मुख्यमंत्री जे. जयललिता…
Ayushman Card Yojana: आयुष्मान भारत योजना के तहत केंद्र सरकार हर साल लोगों को 5…
What Does POCCNR Mean: रूस के राष्ट्रपति पुतिन 4 दिसंबर की शाम को भारत पहुंचे.…
Dhurandhar Facing Content Delivery Issues: अदित्य धर की फिल्म 'धुरंधर' को कंटेंट डिलीवरी में काफी…
Dhurandhar Controversy: आदित्य धर की फिल्म 'धुरंधर' 5 दिसंबर शुक्रवार को बड़े पर्दे पर रिलीज…
Cold Wave Alert: उत्तर भारत के लोगों को ठंड से जरा भी राहत नहीं मिलती…