<
Categories: गुजरात

સોમનાથ: વિધ્વંસ નહીં, સ્વાભિમાનની શાશ્વત ગાથા

સોમનાથ—આ માત્ર એક મંદિર નથી, પરંતુ ભારતની આત્માનો ધબકાર છે. ગુજરાતના પ્રભાસ પાટણ ખાતે અરબી સમુદ્રના કિનારે સ્થિત સોમનાથ મંદિર ભારતની પ્રાચીન સંસ્કૃતિ, અતૂટ આસ્થા અને અડગ સ્વાભિમાનનું…

સોમનાથ—આ માત્ર એક મંદિર નથી, પરંતુ ભારતની આત્માનો ધબકાર છે. ગુજરાતના પ્રભાસ પાટણ ખાતે અરબી સમુદ્રના કિનારે સ્થિત સોમનાથ મંદિર ભારતની પ્રાચીન સંસ્કૃતિ, અતૂટ આસ્થા અને અડગ સ્વાભિમાનનું જીવંત પ્રતીક છે. જ્યારે “સોમનાથ” શબ્દ કાનમાં પડે છે, ત્યારે મન ગૌરવથી ભરાઈ જાય છે અને હૃદયમાં શ્રદ્ધાનો દીવો પ્રગટે છે.

modi in somnath temple

જાન્યુઆરી 1026માં ગઝનીના મહમૂદે સોમનાથ પર કરેલો આક્રમણ ઇતિહાસનું એક ક્રૂર અધ્યાય છે. આ આક્રમણ માત્ર પથ્થરના મંદિર પર નહોતું, પરંતુ ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને આત્મસન્માન પર હતું. છતાં, એક હજાર વર્ષ બાદ પણ સોમનાથ અડગ ઊભું છે—આક્રમણકારોની નાશવંત માનસિકતાને પડકાર આપતું.

GAZNI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ પર ગઝનવીના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે લખેલા પોતાના લેખમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “આ વિધ્વંસની વાર્તા નથી, પરંતુ આપણા સ્વાભિમાનની ગાથા છે; જેઓ નાશ કરે છે, તેઓ નાશ પામે છે.” આ વાક્ય માત્ર રાજકીય નિવેદન નથી, પરંતુ હજારો વર્ષોની ભારતીય ચેતનાનો નાદ છે.

સોમનાથનું મહાત્મ્ય શાસ્ત્રોમાં પણ વર્ણવાયું છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં સૌરાષ્ટ્રે સોમનાથં ચ… કહીને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે તેનો ઉલ્લેખ થાય છે. શિવપુરાણ અનુસાર, સોમનાથના દર્શનથી મનુષ્ય પાપમુક્ત થાય છે અને મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. આ જ કારણે સોમનાથ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર રહ્યો છે.

PRATHAM JOTIR LING

આક્રમણો બાદ પણ સોમનાથ વારંવાર પુનઃનિર્મિત થતો રહ્યો. સમયાંતરે થયેલા આ પુનરુત્થાનો ભારતની સહનશીલતા અને સંસ્કૃતિની અદમ્ય શક્તિને દર્શાવે છે. વર્તમાન મંદિરનું સ્વરૂપ 11 મે 1951ના રોજ સાકાર થયું. સંયોગવશાત્, વર્ષ 2026 સોમનાથના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાનું વર્ષ પણ છે—એક ઐતિહાસિક અને ભાવનાત્મક સંયોગ.

somanthsardarpatel

આઝાદી બાદ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળી. 1947ની દિવાળીએ સોમનાથની મુલાકાત બાદ તેમણે દ્રઢ સંકલ્પ કર્યો કે અહીં ભવ્ય મંદિર ફરી ઊભું થશે. કે.એમ. મુનશી જેવા વિદ્વાનોએ આ પ્રયાસને બૌદ્ધિક અને સાંસ્કૃતિક આધાર આપ્યો. મુનશીનું પુસ્તક ‘સોમનાથ: ધ શ્રાઇન ઇટરનલ’ આજે પણ પ્રેરણાનું સ્ત્રોત છે.

RajendraPrasad

પ્રધાનમંત્રી મોદીએ પોતાના લેખમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સંદર્ભ પણ આપ્યો છે—કે તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ સોમનાથના કાર્યક્રમમાં હાજરી આપે તે ઇચ્છતા નહોતા. તેમનું માનવું હતું કે આથી ભારતની છબી ખરાબ થશે. પરંતુ રાજેન્દ્ર બાબુ અડગ રહ્યા અને તેમણે આ સમારોહમાં હાજરી આપી, જેના પરિણામે એક નવો ઇતિહાસ રચાયો.

K M MUNSHI

સોમનાથ માત્ર ધાર્મિક કેન્દ્ર નહીં, પરંતુ ભારતની આર્થિક અને સમુદ્રી સમૃદ્ધિનું પણ પ્રતીક હતું. દરિયાઈ વેપારીઓ અને નાવિકો તેના વૈભવની કથાઓ દૂર દેશો સુધી લઈ ગયા હતા. આ વૈભવ જ વિદેશી આક્રમણકારોને આકર્ષતું હતું, પરંતુ તેઓ ભારતીય આત્માને કદી લૂંટી શક્યા નહીં.

GeminiGeneratedImagehka29whka29whka2

મોદીના શબ્દોમાં, “જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર સંપૂર્ણ વૈભવ સાથે ફરી ઊભું થઈ શકે છે, તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ ફરી બનાવી શકીએ.” આ વિચાર માત્ર ભૂતકાળની સ્મૃતિ નથી, પરંતુ ભવિષ્ય માટેનું આહ્વાન છે.

આજે “સોમનાથ સ્વાભિમાન પર્વ” જેવા કાર્યક્રમો દ્વારા આપણે માત્ર ઇતિહાસને યાદ નથી કરતા, પરંતુ આપણા સંસ્કાર, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રીય ચેતનાને પુનર્જાગૃત કરીએ છીએ. સોમનાથ આપણને શીખવે છે કે વિનાશ અંત નથી—આસ્થા અને સ્વાભિમાન સાથે પુનરુત્થાન શક્ય છે.

STORY BY: NIRAJ DESAI

Niraj Desai

Recent Posts

Jio का बड़ा धमाका! लॉन्च किए सस्ते JioHome Packs, सिर्फ 400 रुपये में मिलेंगे 1000+ टीवी चैनल्स

रिलायंस जियो ने लॉन्च किए नए JioHome Packs. सिर्फ 400 रुपये में मिलेंगे 1000+ टीवी…

Last Updated: August 3, 2026 23:06:03 IST

पीएम मोदी का वीडियो हटा डर गया मेटा? सदीय समिति ने कहा- सिर्फ माफी से काम नहीं चलेगा

Pm Modi: इस हाई-प्रोफाइल मीटिंग में स्नैपचैट, गूगल, X (पहले ट्विटर), मेटा (फेसबुक, वॉट्सऐप, इंस्टाग्राम)…

Last Updated: August 3, 2026 22:59:39 IST

Harshita Jakhar: कौन हैं हर्षिता जाखड़? टूर डी फ्रांस फेमेस में एंट्री करने वाली बनीं पहली भारतीय महिला साइकिलिस्ट

राजस्थान की 19 साल की हर्षिता जाखड़ ने रचा इतिहास. Tour de France Femmes का…

Last Updated: August 3, 2026 23:06:49 IST

UPSSSC PET 2026 के लिए आवेदन प्रक्रिया शुरू, ऐसे करें अप्लाई, ग्रुप B, C में मिलेगी नौकरी

UPSSSC PET 2026 Online Form Started: उत्तर प्रदेश सरकार की ग्रुप B और ग्रुप C…

Last Updated: August 3, 2026 22:41:52 IST

फेसबुक से पीएम मोदी का वीडियो हटाना Meta को पड़ा भारी, संसदीय समिति ने लगाई फटकार

PM Modi Video Removed: दिल्ली में सोमवार को इन्फॉर्मेशन टेक्नोलॉजी (IT) पर पार्लियामेंट्री स्टैंडिंग कमिटी…

Last Updated: August 3, 2026 20:27:24 IST