શારદીય નવરાત્રીનો પાંચમો દિવસ મા સ્કંદમાતાના સ્નેહ, કરુણા અને શક્તિનો સંદેશ આપે છે. તેઓ માત્ર સંતાન સુખની પ્રદાતા જ નથી, પરંતુ ભક્તના જીવનમાંથી ભય અને અવરોધો દૂર કરીને માર્ગદર્શક માતા બની રહે છે. તેમની ભક્તિપૂર્વકની પૂજા ભક્તોને શારીરિક સુખ, માનસિક શાંતિ અને આધ્યાત્મિક તેજ પ્રદાન કરે છે.
નવરાત્રીના પવિત્ર ઉત્સવનો પાંચમો દિવસ દેવી દુર્ગાના પાંચમા સ્વરૂપ, મા સ્કંદમાતાને સમર્પિત છે. તેઓ કાર્તિકેય (સ્કંદ) ની માતા હોવાથી “સ્કંદમાતા” તરીકે ઓળખાય છે. મા સ્કંદમાતા પોતાની ગોદમાં સ્કંદને ધારણ કરી કમળાસન પર બિરાજમાન રહે છે, તેથી તેઓને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. તેમના વાહન રૂપે સિંહ છે, જે સાહસ અને શક્તિનું પ્રતીક છે. માન્યતા મુજબ, તેમની આરાધના કરવાથી સંતાન સુખ, શાંતિ, જ્ઞાન અને આધ્યાત્મિક તેજ પ્રાપ્ત થાય છે.

મા સ્કંદમાતા ચાર ભુજાઓ ધરાવે છે. એક હાથે તેઓ પોતાના પુત્ર સ્કંદને ધારણ કરે છે, જ્યારે બીજા હાથોમાં કમળ અને જપમાળા છે. તેમનું સ્વરૂપ માયાળુ માતાનું છે, જે પોતાના ભક્તોને અપાર સ્નેહ વરસાવે છે. તેમની કૃપાથી ભક્તના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને નવા પ્રારંભની શક્તિ મળે છે.

મા સ્કંદમાતાને કેળા ખૂબ પ્રિય છે. ભક્તો કેળાનો નૈવેદ્ય અર્પણ કરે છે, જેને સ્વીકારી દેવી સંતાન સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનો આશીર્વાદ આપે છે.
આ દિવસે પીળો રંગ અતિ શુભ માનવામાં આવે છે. પીળો રંગ જ્ઞાન, પ્રકાશ અને ઉર્જાનું પ્રતીક છે. પીળા વસ્ત્રો ધારણ કરીને પૂજા કરવાથી ભક્તના જીવનમાં આશા અને નવી તાજગી ઉત્પન્ન થાય છે.

મા સ્કંદમાતાની આરાધના એ માતૃત્વના નિઃસ્વાર્થ સ્નેહનું દૈવી સ્વરૂપ છે – એક એવી શક્તિ, જે ભક્તના જીવનને કરુણા, જ્ઞાન અને આશીર્વાદથી ઉજ્જવળ બનાવી દે છે.
बिहार में खाद्य एवं उपभोक्ता संरक्षण विभाग 11 लाख से अधिक नए राशन कार्ड बनाने…
निर्वासन के बाद बांग्लादेश की पूर्व प्रधानमंत्री शेख हसीना ने हाल ही में पहली बार…
Lock Upp 2 Winner Shreya Kalra: लॉक अप के सीजन 2 अपने ग्रैंड फिनाले के…
Vrat Special Cuisine: सिंघाड़े के आटे से बना चीला काफी हेल्दी और टेस्टी होता है.…
बिहार के बेगुसराय से वायरल हुए एक वीडियो में बलात्कार पीड़िता को ग्राम पंचायत द्वारा…
श्रीलंका के खिलाफ दो मैचों की टेस्ट सीरीज से पहले टीम इंडिया को बड़ी राहत…