<
Categories: गुजरात

કૂતરાના કરડવાથી મોત: સુપ્રીમ કોર્ટે જનહિતમાં લીધો સ્વતઃ સંજ્ઞાન

2024માં 37 લાખ કેસ અને 54 રેબીઝ મૃત્યુ નોંધાયા. છબી શર્મા ઘટનાએ આ મુદ્દાને ચર્ચામાં લાવ્યો. અદાલતે જાહેરમાં કૂતરાને ખવડાવવું ખોટું ગણાવ્યું અને જાહેર હિતની કાર્યવાહી શરૂ કરી.

દેશમાં વધતા રખડતા કૂતરાઓના હુમલાઓ અને તેના પરિણામે થતા મોતના મામલાઓ હવે માત્ર શોક અને ચર્ચાજ નહિ પણ ન્યાયિક ચિંતાનું કારણ બન્યા છે. સુપ્રીમ કોર્ટે દેશમાં કૂતરાના કરડવાથી થતા મૃત્યુ અને રોગપ્રસરના ગંભીર મુદ્દે સ્વતઃ સંજ્ઞાન લઈ ભારે ચિંતા વ્યક્ત કરી છે.

IMG20250729WA0077

અદાલતે ખાસ કરીને દિલ્હી શહેરમાં ઘટેલી અત્યંત દુઃખદ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં છ વર્ષીય બાળકી છબી શર્માનું રખડતા કૂતરાના કરડવાથી 30 જૂને ગંભીર રીતે ઇજા પામી હતી અને સારવાર છતાં તે 26 જુલાઈએ જિંદગી હારી ગઈ હતી.

ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે જણાવ્યું કે આવા બનાવો માત્ર પીડિત પરિવારજનો માટે જ નથી પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાજનક અને ડરાવનારા છે. અદાલતે આ મુદ્દે રજૂ થયેલા રિપોર્ટને જાહેર હિતની અરજી તરીકે નોંધવાની તાત્કાલિક કાર્યવાહી કરી છે અને ભારતમાં મહામહિમ મુખ્ય ન્યાયમૂર્તિને આ અંગે યોગ્ય આદેશ આપવા વિનંતી કરી છે.

પશુપાલન રાજ્યમંત્રી એસ.પી.સિંહ બઘેલે 22 જુલાઈના રોજ લોકસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2024માં અત્યાર સુધીમાં દેશમાં કૂતરા કરડવાના આશરે 37 લાખ કેસ નોંધાયા છે, જેમાંથી 54 મોત રેબીઝ (હડકવા)ના કારણે થયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે પીડિતોમાંથી પાંચ લાખથી વધુ બાળકો એવા હતા, જેઓ 15 વર્ષથી પણ નાનાં હતા.

વર્ષવાર કૂતરા કરડવાના કેસ અને મૃત્યુ

વર્ષ

કેસોની સંખ્યા

રેબીઝથી મૃત્યુ

15 વર્ષથી ઓછા બાળકોની સંખ્યા

2022

21.9 લાખ

ઉપલબ્ધ નથી

ઉપલબ્ધ નથી

2023

30.5 લાખ

ઉપલબ્ધ નથી

ઉપલબ્ધ નથી

2024

37 લાખ+

54 લોકો

5,19,704+

📍 રાજ્યવાર કેસ – 2024 (લાખમાં)

રાજ્ય

કેસોની સંખ્યા

મહારાષ્ટ્ર

4,85,345

તમિલનાડુ

4,80,427

ગુજરાત

3,92,837

કર્નાટક

3,61,494

બિહાર

2,63,930

કેરળ

1,15,046

દિલ્હી

25,210

IMG20250729WA0078

પૂર્વમાં સુપ્રીમ કોર્ટે નોઈડાની એક અરજીની સુનાવણી દરમિયાન પણ તાકીદ કરી હતી કે લોકોના જીવન અને સુરક્ષાની કિંમત પર કૂતરાઓને જાહેર સ્થળે ખવડાવવાની મનમાની માન્ય ન બની શકે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથે સ્પષ્ટ રીતે જણાવ્યુ હતું કે જો કોઈ વ્યક્તિએ કૂતરાઓને ખવડાવવા જ હોય, તો તે પોતાનાં ઘરમાં જ કરે.

આ પૃષ્ઠભૂમિમાં, દેશ માટે આ પ્રશ્ન માત્ર એક આરોગ્યસંબંધિત પડકાર નહિ રહ્યો, પણ જાહેર વ્યવસ્થાની કસોટી બની રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે દેશની સર્વોચ્ચ અદાલત આ અંગે શા પ્રકારનો માર્ગદર્શક નિર્ણય આપે છે અને તંત્ર કેટલું ચુસ્ત પગલું લે છે.

Recent Posts

वर्दी की आड़ में करोड़ों नहीं, लाखों की चोरी! दिल्ली पुलिस का जवान निकला ATM चोरी का मास्टरमाइंड, ऐसे खुली पूरी साजिश

Faridabad ATM Theft Case: हरियाणा के फरीदाबाद में एटीएम काटकर लाखों रुपये चोरी करने के…

Last Updated: August 4, 2026 18:15:20 IST

क्या खत्म हो गया मोहम्मद शमी का करियर? अजीत अगरकर के फैसले से मचा हड़कंप; गेंदबाजी नहीं इस वजह से नहीं मिली जगह

Mohammed Shami: एक शानदार इंटरनेशनल करियर में, शमी ने 64 टेस्ट में 27.71 की औसत…

Last Updated: August 4, 2026 17:57:56 IST

UP IAS Transfer List: यूपी में IAS अफसरों का तबादला, बरेली-बस्ती-प्रयागराज समेत कई जगह नए अधिकारी तैनात; देखें पूरी ट्रांसफर लिस्ट

UP IAS Transfer List:  उत्तर प्रदेश सरकार ने मंगलवार को प्रशासनिक स्तर पर बड़ा फेरबदल…

Last Updated: August 4, 2026 17:50:25 IST

यूपी के किसानों को योगी सरकार का बड़ा तोहफा, फसल खराब होने पर मिलेगी आर्थिक सुरक्षा

 UP Crop Insurance Scheme: उत्तर प्रदेश के किसानों के लिए राहत भरी खबर है. अब…

Last Updated: August 4, 2026 17:30:05 IST

कुलदीप, जडेजा का साथ देंगे 2 युवा गेंदबाज, नेट बॉलर के रूप में टीम में शामिल हुए, श्रीलंका दौरे पर रहेंगे साथ

भारतीय क्रिकेट टीम के श्रीलंका दौरे से पहले मुंबई के स्पिन गेंदबाज ऑलराउंडर तनुष कोटियन…

Last Updated: August 4, 2026 17:15:55 IST

दिलजीत दोसांझ का जापान में चकराया सिर, कचरे का डिब्बा ढूंढ़ते-ढूंढ़ते रह गए परेशान; वीडियो देख हंसी नहीं रोक पाएंगे आप!

दिलजीत ने अपने जापान वाले वीडियो में आइसक्रीम खाने के बाद कूड़ेदान ढूंढने की मज़ेदार…

Last Updated: August 4, 2026 17:02:33 IST