આ દિવસનું નવરાત્રિમાં અનેરું મહત્ત્વ છે, કારણ કે આ દિવસે દેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મા મહાગૌરીનું સ્વરૂપ અત્યંત શાંત, પવિત્ર અને સૌમ્ય છે. તેમનો ગૌર વર્ણ…
આ દિવસનું નવરાત્રિમાં અનેરું મહત્ત્વ છે, કારણ કે આ દિવસે દેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મા મહાગૌરીનું સ્વરૂપ અત્યંત શાંત, પવિત્ર અને સૌમ્ય છે. તેમનો ગૌર વર્ણ શંખ, ચંદ્ર અને મોગરાના ફૂલ જેવો શ્વેત છે, અને તે શ્વેત વસ્ત્રો અને આભૂષણો ધારણ કરે છે. તેમનું વાહન વૃષભ છે, અને તેમને ચાર ભુજાઓ છે. તેમના જમણા હાથમાં અભય મુદ્રા અને ત્રિશૂળ છે, જ્યારે ડાબા હાથમાં ડમરુ અને વરદ મુદ્રા છે.

મા મહાગૌરીની પૌરાણિક કથા
મા મહાગૌરીની ઉત્પત્તિ પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. જ્યારે માતા સતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી, ત્યારે હજારો વર્ષો સુધી તપ કરવાને કારણે તેમનું શરીર માટી અને ધૂળથી ઢંકાઈ ગયું હતું, અને તેમનો ગૌર વર્ણ શ્યામ થઈ ગયો હતો. આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર્યા. જ્યારે ભગવાને તેમને ગંગાના પવિત્ર જળથી સ્નાન કરાવ્યું, ત્યારે તેમનો શ્યામ વર્ણ ધોવાઈ ગયો અને તેમનું શરીર વીજળીની જેમ અત્યંત તેજોમય અને ગૌર થઈ ગયું. આ સ્વરૂપમાં તેઓ ‘મહાગૌરી’ તરીકે ઓળખાયા. મહાગૌરીનો અર્થ થાય છે ‘અત્યંત ગૌર વર્ણવાળી’. આ સ્વરૂપમાં માતા શાંતિ, પવિત્રતા અને સુંદરતાનું પ્રતીક છે.

પૂજા વિધિ અને મહત્વ
મહાઅષ્ટમીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે મા મહાગૌરીની પૂજા અર્ચના નીચે મુજબ કરવામાં આવે છે:

કન્યા પૂજનનું મહત્ત્વ
અષ્ટમીના દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે નવ કન્યાઓને, જે દેવીના નવ સ્વરૂપોનું પ્રતીક છે, તેમને ઘરે આમંત્રણ આપીને તેમની પૂજા કરવામાં આવે છે.
સંધિ પૂજા
મહાઅષ્ટમીનો અંત અને મહાનવમીની શરૂઆતનો સંધિકાળ, જેને સંધિ પૂજા કહેવાય છે, તે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ પૂજા અષ્ટમીના છેલ્લા ૨૪ મિનિટ અને નવમીના શરૂઆતના ૨૪ મિનિટ દરમિયાન કરવામાં આવે છે, જેમાં ૧૦૮ કમળના ફૂલો અને અન્ય સામગ્રીથી મા દુર્ગાની વિશેષ પૂજા થાય છે.

મા મહાગૌરીની ઉપાસનાના લાભ
મા મહાગૌરીની ઉપાસના કરવાથી ભક્તોને અનેક લાભ થાય છે:
આમ, નવરાત્રીનો આઠમો દિવસ મા મહાગૌરીની ભક્તિ અને આરાધનાનો દિવસ છે, જે શ્રદ્ધાળુઓના જીવનમાં શાંતિ, સુખ અને પવિત્રતા લાવે છે. આ દિવસે કન્યા પૂજન અને સંધિ પૂજાનું વિશેષ મહત્ત્વ તેને વધુ પવિત્ર અને ફળદાયી બનાવે છે.
भाईंदर के सरकारी अस्पताल के ICU में रूह कंपा देने वाली घटना! वेंटिलेटर पर लेटी…
अलीगढ़ न्यूज: साढ़े तीन साल पहले लव मैरिज करने वाले एक कपल की कहानी अब…
भारतीय क्रिकेट कंट्रोल बोर्ड यानी बीसीसीआई के वार्षिक नमन अवॉर्ड्स समारोह में एक ऐसा पल…
Bhojpur Inter Student Murder: परिजनों के अनुसार युवक को देर रात घर से बुलाकर गोली…
न्यूजीलैंड और साउथ अफ्रीका के बीच खेली जा रही टी20 सीरीज का दूसरा मुकाबला क्रिकेट…
Ranchi Weather News: रांची में कुदरत का खौफनाक मंजर! कडरू मेन रोड पर अचानक मौत…