<
Categories: गुजरात

મુસ્લિમ દેશમાં મહાદેવની અખંડ શ્રદ્ધા: મસ્કતમાં ૧૨૫ વર્ષ જૂના મોતીશ્વર મહાદેવ મંદિર

સદીઓની શ્રદ્ધા, સંસ્કૃતિ અને સહઅસ્તિત્વની અખંડ ગાથા છે, જ્યાં રણમાં પણ મહાદેવની કૃપા અવિરત વહેતી રહે છે.

મુસ્લિમ બહુમતી ધરાવતા ઓમાનની રાજધાની મસ્કતમાં મહાદેવ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા આજે પણ જીવંત છે—અને એ શ્રદ્ધાનો સૌથી પ્રબળ સાક્ષી છે ૧૨૫ વર્ષ જૂનું મોતીશ્વર મહાદેવ મંદિર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇથોપિયાની સફળ મુલાકાત બાદ ઓમાન પહોંચતાં જે ઉષ્માભર્યું સ્વાગત મળ્યું, તે માત્ર રાજકીય મિત્રતાનું નહીં, પરંતુ ભારત–ઓમાનની સદીઓ જૂની સાંસ્કૃતિક આત્મીયતાનું પ્રતીક હતું. રસ્તાઓ પર ત્રિરંગો અને “મોદી–મોદી”ના નારા વચ્ચે આ વારસો વધુ પ્રગટ થયો.

untitleddesign20251217t1942391961765985303

મસ્કતના મુત્રાહ વિસ્તારમાં સ્થિત મોતીશ્વર મહાદેવ મંદિર અખાતના સૌથી પ્રાચીન હિન્દુ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. ઈતિહાસ કહે છે કે ૧૫૦૦ના દાયકાથી ગુજરાતના કચ્છ પ્રદેશના ભાટિયા વેપારીઓ વેપાર માટે ઓમાનમાં વસ્યા હતા. સમુદ્ર માર્ગે વેપાર કરતાં આ વેપારીઓ માત્ર ધનસંપત્તિ નહીં, પરંતુ પોતાની શ્રદ્ધા, સંસ્કાર અને સનાતન પરંપરા પણ સાથે લાવ્યા. આશરે ૧૯૦૦ની આસપાસ તેમણે આ મંદિરનો શિલાન્યાસ કર્યો—જે આજે પણ સમયને ચીરતું ઊભું છે.

OLD TEMPLE

સમય જતાં, મંદિર માત્ર પૂજાનું સ્થળ નહીં, પરંતુ ઓમાનમાં વસતા ભારતીયો માટે સામૂહિક એકતાનું કેન્દ્ર બન્યું. ૧૯મી સદીમાં ગુજરાતી વેપારીઓનો પ્રભાવ વધતાં તેઓ સુલ્તાનો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવતા. આ પરંપરાનો પ્રતિબિંબ ૧૯૯૯ના ભવ્ય નવીનીકરણમાં જોવા મળે છે. આજે અલ આલમ પેલેસ નજીક આવેલું મંદિર ભવ્યતા, શાંતિ અને સંસ્કૃતિનું સંયોજન રજૂ કરે છે.

CityofMuscatin1876

આ મંદિર ઓમાનમાં વસતા ભારતીયો માટે પોતાની ઓળખ જાળવી રાખવાનો આધારસ્તંભ બન્યું છે. પેઢી દર પેઢી અહીં ધાર્મિક સંસ્કાર, ભાષા અને પરંપરાઓનું સંક્રમણ થતું રહ્યું છે. વેપાર, જીવન અને સંઘર્ષ વચ્ચે મંદિર એક એવું સ્થાન બન્યું છે જ્યાં ભારતીયતા જીવંત રહે છે. આજે પણ ભારતથી આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અહીં દર્શન માટે આવે છે અને મંદિરને ભારત–ઓમાન વચ્ચેની સદીયો જૂની સાંસ્કૃતિક મિત્રતાનું પ્રતીક માને છે.

રણમાં ચમત્કાર—કૂવો જે ક્યારેય સુકાતો નથી

ઓમાન રણપ્રદેશ છે—અહીં વરસાદ દુર્લભ અને પાણી અમૂલ્ય. છતાં, મોતીશ્વર મહાદેવ મંદિરના સંકુલમાં આવેલો પ્રાચીન કૂવો ભક્તોની શ્રદ્ધાનો ચમત્કાર ગણાય છે. દહકતી ગરમી અને દુષ્કાળ વચ્ચે પણ આ કૂવો ક્યારેય સુકાતો નથી. આસપાસ કુદરતી પાણીનો કોઈ સ્ત્રોત ન હોવા છતાં, આખું વર્ષ અહીં પાણી ઉપલબ્ધ રહે છે. મહાશિવરાત્રી જેવી મહાન ઉજવણી વખતે ૨૦,૦૦૦થી વધુ ભક્તો એકત્ર થાય, છતાં કૂવો મંદિરની શીતળતા અને જીવંતતા જાળવી રાખે છે—જે ભક્તો માટે મહાદેવની કૃપાનો જીવંત પુરાવો છે.

3659x445

ત્રણ દેવતાઓનું આધ્યાત્મિક સંકુલ

મોતીશ્વર મંદિર માત્ર એક દેવસ્થાન નથી. અહીં શ્રી આદિ મોતીશ્વર મહાદેવ, શ્રી મોતીશ્વર મહાદેવ અને શ્રી હનુમાનજીને સમર્પિત અલગ અલગ મંદિરો છે. વ્યવસ્થિત સંચાલન, મુખ્ય પૂજારીની વિધિવત સેવા અને સ્વયંસેવકોની નિષ્ઠા મંદિરને આધ્યાત્મિક ઊંચાઈ આપે છે. વસંત પંચમી, રામ નવમી, હનુમાન જયંતિ, ગણેશ ચતુર્થી સહિતના તહેવારો અહીં ભારત જેવી જ ભક્તિભાવથી ઉજવાય છે.

ShriNarendraModivisitatShriMotishwarMahadevTemple

pminomantwitter650x40071518426955

મંદિર વહીવટ અને ઓમાની સરકાર વચ્ચેનું સુમેળ એ વાતનો સાક્ષી છે કે મુસ્લિમ બહુમતી હોવા છતાં ઓમાન ધાર્મિક સ્વતંત્રતા અને ભારતીય સંસ્કૃતિને કેટલો આદર આપે છે. મસ્કતમાં ઊભેલું આ મંદિર માત્ર પથ્થરનું માળખું નથી—એ સદીઓની શ્રદ્ધા, સંસ્કૃતિ અને સહઅસ્તિત્વની અખંડ ગાથા છે, જ્યાં રણમાં પણ મહાદેવની કૃપા અવિરત વહેતી રહે છે.

STORY BY: NIRAJ DESAI

Niraj Desai

Recent Posts

अरिजीत सिंह को टक्कर देते दिखे काजी तौकीर, 21 साल पुराना VIDEO अब इंटरनेट पर मचा रहा तहलका; अब खुला सालों पुराना राज

Qazi Touqeer-Arijit Singh Viral Video: काजी तौकीर और अरिजीत सिंह की 21 साल पुरानी दोस्ती…

Last Updated: September 13, 2026 16:05:01 IST

Noida priest hostage case: मनोकामना पूरी नहीं हुई तो पुजारी को बनाया बंधक, परिवार से मांगे ₹1 लाख… ऐसे हुआ पूरा खेल

Noida priest hostage case: नोएडा के सेक्टर-73 सर्फाबाद निवासी पुजारी अनिल कुमार तिवारी को कथित…

Last Updated: September 13, 2026 15:53:18 IST

बाब-अल-मंडेब क्या है? लाल सागर का यह महत्वपूर्ण बिंदु भारत के लिए क्यों है इतना महत्वपूर्ण

बाब-अल-मंडेब जलडमरूमध्य विश्व के सबसे महत्वपूर्ण समुद्री यातायात मार्गों में से एक है. इस आर्टिकल…

Last Updated: September 13, 2026 15:47:57 IST

घर में भूलकर भी न उगाएं ये 4 सब्जियां! वरना खाली हो सकता है बैंक अकाउंट, जानें वजह

Vastu For vegetables: घर में किचन गार्डन बनाना आजकल काफी लोकप्रिय है. वास्तु मान्यताओं के…

Last Updated: September 13, 2026 15:35:26 IST

Ghaziabad: गैस सिलेंडर फटने से लगी आग, 15 वर्षीय बेटी को बचाने के लिए आग में कूद पड़े पिता, लेकिन नहीं बचा सके जान

गाजियाबाद के भाऊवापुर गांव में देर रात गैस सिलेंडर में लगी आग उस समय भयावह…

Last Updated: September 13, 2026 15:29:06 IST

AMU Viral MMS Video: गिरोह ने डेटिंग ऐप्स के जरिए स्टूडेंट्स को बहला-फुसलाकर रिकॉर्ड किए ‘वो’ वाले वीडियो, फिर करते पैसे की मांग

अलीगढ़ मुस्लिम विश्वविद्यालय (एएमयू) के एक छात्रावास में एक ब्लैकमेल गिरोह का पुलिस ने पर्दाफाश…

Last Updated: September 13, 2026 15:17:00 IST